PM મોદી-રાહુલ ગાંધીના ચૂંટણીલક્ષી ભાષણોને લઇ ભાજપ-કોંગ્રેસને ચૂંટણી પંચની નોટિસ, માંગ્યો જવાબ

ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યા બાદ ગુરૂવારે તેની નોંધ લેવામાં આવી છે. પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં બીજેપી અને કોંગ્રેસને નોટિસ મોકલીને તેમની પાસે જવાબ માંગ્યો છે.

બીજેપી અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ એક બીજા પર ધર્મ, જાતી, સમુદાય અને ભાષાના આધાર પર નફરત અને વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. બન્ને પાર્ટીઓને 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી જવાબ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77ના હેઠળ બન્ને પાર્ટીઓના અધ્યક્ષોને જવાબ આપવા માટે કહ્યું છે. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.

આયોગે કહ્યું છે કે રાજનૈતિક પક્ષોને પોતાના ઉમેદવારો ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ પદો પર બેઠેલા નેતાઓના ભાષણોના વધારે ગંભીર પરિણામ આવી શકે છે. ચૂંટણી પંચની તરફથી કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે અમે પંચમાં ફરિયાદ કરી હતી. જે પ્રકારે બીજેપી ધર્મનો ઉપયોગ કરે છે. એમ કહીએ કે દુરૂપયોગ કરી રહી છે. તે ખૂબ જ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.

FOLLOW US ON :
Share Our Post