અમદાવાદમાં મોટેરા સ્થિતિ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટના મહામુકાબલા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ આવી ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મહામુકાબલામાં 19 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાની સામે વર્લ્ડ કપમાં ભારતની જીત થશે તો ભારતીય ટીમ દ્વારા અમદાવાદમાં રોડ શો યોજી ચાહકોનું અભિવાદન ઝીલવામાં આવશે.
આ રોડ શોમાં ઓપન બસમાં બેસીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂરી ટીમ લોકો વચ્ચે જશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં આ રોડ શો યોજાશે એવી સંભાવના છે.
FOLLOW US ON :